Monday, September 20, 2021

રબી-૨૧-૨૨ માટે યુનિવર્સીટી ઉત્પાદિત ચણા, ઘઉંના પ્રમાણિત બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી

 


રબી-૨૧-૨૨ માટે યુનિવર્સીટી ઉત્પાદિત ચણા, ઘઉંના પ્રમાણિત બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી



  • 1) ખાતેદાર ખેડૂતોના "૮-(અ)" માં નોંધાયેલ નામો પૈકી કોઈ ૫ણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધારકાર્ડ સાથે એક જ અરજી કરી શકશે. જો એક કરતાં વધારે અરજી માલુમ ૫ડશે તો વધારાની બધી જ અરજીઓ રદ્દ કરવામાં આવશે.
  • 2) ચણા અને ઘઉંના બિયારણની નોંધણી માટેની અરજી ફકત ઓનલાઈન જ સ્‍વીકારવામાં આવશે.
  • 3) આગામી રબી ૨૦૨૧-૨૨ ઋતુમાં ખેડૂત મિત્રોને વાવેતર માટે ચણામાં GJG-૩ અને GG-5 તથા ઘઉંમાં LOK-1, GW-496, અને GW-451 જાતોનું પ્રમાણિત/ટ્રુથફુલ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ ખાતે ઉપલબ્ધ હોઈ ખેડૂતમિત્રો પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાકો અને જાતો પૈકી કોઈ પણ એક પાક અને જાતના બિયારણ માટે અરજી કરી શકશે એટલે કે જે ખેડૂતમિત્ર એ જે પાક અને જાત માટે અરજી કરી હશે તેજ પાક અને જાત નું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રોએ અરજીમાં જે પાક અને જાત માટે ઓનલાઈન અરજી કરી હશે તેજ પાક અને જાતનું બિયારણ આપનો નંબર આવે ત્યાં સુધી અથવા જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી આપની ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પાંચ બેગ સુધી મળવાપાત્ર થશે (ચણા ૧ બેગ=૨૫ કિ.ગ્રા. અને ઘઉં ૧ બેગ=૪૦ કિ.ગ્રા. બે હેક્ટરની મર્યાદા એટલે કે ૪૦ ગુંઠા જમીને એક બેગ અને તે મુજબ ૪૦ ગુંઠાના ગુણાંકમાં બેગો મળવાપાત્ર થાય.)
  • 4) ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. બિયારણ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ (મેગાસીડ) ખાતે લેવા આવવું પડશે.
  • 5) ઓનલાઈન અરજીની નોંધણી થયા બાદ ઓનલાઈન પાવતીની પ્રિન્‍ટ કાઢીને તેમાં અરજદારે સહી કરવી અને બિયારણ લેવા આવતી વખતે પાવતી જમા કરાવવાની રહેશે તેમજ બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાવેલ પુરાવા જેવા કે આધારકાર્ડની નકલ, જમીનનો ૮-(અ) નો તાજો અસલ દાખલો (છ મહિનાથી જૂનો દાખલો ચાલશે નહીં), બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ (અરજદારનો ખાતા નં. અને બેંકનો IFSC Code વંચાય તેવો હોવો જોઈએ) અરજીની ૫હોંચ સાથે રજુ કરવાના રહેશે. ઉ૫રોકત બધા પુરાવામાં ખેડૂત ખાતેદારની અટક અને નામ એક સરખા હોવા જરૂરી છે. જો ફેરફાર હશે તો અરજી માન્‍ય ગણવામાં આવશે નહીં.
  • 6) બિયારણ ખરીદી માટે ખેડૂતમિત્રોને ફાળવવામાં આવેલ તારીખો એ જ બિયારણ મળશે. એટલે કે ખેડૂતમિત્રોને જે તારીખો બિયારણ લેવા આવવા માટે ફાળવવામાં આવે તે તારીખો એ જ લઈ જવાનું રહેશે. અન્‍યથા તે તારીખ બાદ ખેડૂતમિત્રની અરજી અમાન્‍ય ગણવામાં આવશે અને તે ખેડૂતને ત્‍યારબાદ બિયારણ ખરીદીનો લાભ આ૫વામાં આવશે નહીં.
  • 7) બિયારણની ફાળવણી માટે આપના દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીની ચકાસણી બાદ અધિકૃત કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમથી રેન્ડમાઈઝેશન કરવામાં આવશે અને તે મુજબ બિયારણ વિતરણ કરવામાં આવશે. પાછળથી કોઈ પણ દાવો ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
  • 8) અરજીમાં પાક અને જાતની નોંધણી એક વાર થઇ ગયા પછી તેમાં સુધારો થઇ શકશે નહિ. જયારે તે સિવાયની ભૂલ રહી ગઈ હશે તો તે અરજી કરવાના સમયગાળા દરમ્યાન સુધારી શકશે.
  • 9) જે ખેડૂતમિત્રોએ રબી-૨૦૨૧-૨૨ ઋતુમાં વાવેતર માટે ઓનલાઈન અરજી કરી હોય તેઓએ જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in પર બિયારણ વિતરણ અને પાકના ભાવ સબંધિત માહિતી માટે જોતા રહેવું.
  • 10) હાલમાં દેશમાં ફેલાયેલ COVID-19 ની મહામારીના કારણે જે ખેડૂતમિત્રોની અરજી મંજુર થાય અને તેઓ બિયારણ લેવા માટે આવે ત્યારે જેતે સમયે ગુજરાત સરકારશ્રીની સોસ્યલ ડીસ્ટન્સ, સેનીટાઈઝેશન અને COVID-19 સંદર્ભેની તમામ માર્ગદર્શક સૂચનાઓ અમલમાં હશે તેનું ચુસ્તપણે પાલન કરવાનુઁ રહેશે.






No comments:

Post a Comment

LRD Gujarat Police Constable PET-PST Call Latter 2025

LRD Gujarat Police Constable PET-PST Call Latter 2025: Gujarat Lokrakshak Recruitment Board (LRB) issued LRD Physical Exam Call Letter for U...